દુનિયા માં દરેક મનુષ્ય નું જીવન અલગ-અલગ રીતે પસાર થાય છે. કોઈ ના જીવન માં સમસ્યાઓ વધુ હોય છે, જ્યારે કોઈ પોતાનું જીવન ખુશી થી પસાર કરે છે. એવું જોવા માં આવ્યું છે કે લોકો ઈચ્છે છે કે તેમના જીવન માં કોઈ સમસ્યા ન આવે. વ્યક્તિ ને દરેક આરામ મળવો જોઈએ, જેના માટે લોકો દિવસ-રાત મહેનત કરીને અઢળક પૈસા કમાવવા માંગે છે, પરંતુ કેટલાક લોકો ને તેમની મહેનત નું ફળ મળે છે, તો કેટલાક લોકો નિરાશ થઈ જાય છે.
એવું કહેવાય છે કે જે વ્યક્તિ પર દેવી લક્ષ્મીજી ની કૃપા રહે છે, તે વ્યક્તિ ને ઓછી મહેનત માં વધુ સફળતા મળે છે અને તે વ્યક્તિ ના જીવન માં ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જાય છે. હિન્દુ ધર્મ માં પણ દેવી લક્ષ્મી ની પૂજા નું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે મા લક્ષ્મીજી ની વિધિપૂર્વક પૂજા કરવા થી અને જ્યોતિષીય ઉપાય કરવા થી વ્યક્તિ ને મા લક્ષ્મીજી ની કૃપા પ્રાપ્ત થાય છે.
મા લક્ષ્મીજી ને ધન, વૈભવ અને ઐશ્વર્ય નું પ્રતિક માનવા માં આવે છે. આવી સ્થિતિ માં જે વ્યક્તિ પર માતા રાણી પ્રસન્ન થાય છે, તે વ્યક્તિ ને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર માં જણાવવા માં આવ્યું છે કે દેવી લક્ષ્મી ની કૃપા મેળવવા માટે શુક્રવારે ઉપવાસ કરવો જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવાર ની રાત્રે આ ઉપાય કરવા થી વ્યક્તિ આર્થિક તંગી માંથી મુક્તિ મેળવે છે અને દેવા થી મુક્તિ મળે છે.
શાસ્ત્રો માં શુક્રવાર ની રાત વિશે કેટલાક ગુપ્ત ઉપાય જણાવવા માં આવ્યા છે. કહેવાય છે કે આ ઉપાયો કરવા થી ઘર માં માતા લક્ષ્મી નો સ્થાયી વાસ થાય છે. તો ચાલો તમને આ ઉપાયો વિશે જણાવીએ.
શુક્રવાર ની રાત્રે આ ગુપ્ત ઉપાય કરો
1. જ્યોતિષ માં જણાવવા માં આવ્યું છે કે શુક્રવાર ની રાત્રે અષ્ટ લક્ષ્મીજી ની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. આ દિવસે અષ્ટ લક્ષ્મી ની પૂજા કરવા ની સાથે ધન ની દેવી ની સામે અગરબત્તી પ્રગટાવી ને ગુલાબ ના ફૂલ ચઢાવો. બીજી તરફ શુક્રવારે મા લક્ષ્મી ને લાલ રંગ ની માળા ચઢાવવી ખૂબ જ શુભ છે.
2. ઘણીવાર એવું જોવા મળે છે કે વ્યક્તિ ને પૈસા સંબંધિત સમસ્યાઓ નો સામનો કરવો પડે છે. લોકો તેમની સમસ્યાઓ દૂર કરવા માટે દિવસ-રાત મહેનત કરે છે પરંતુ કોઈ ફાયદો થતો નથી. જો તમે પણ પૈસા ની સમસ્યા થી પરેશાન છો, તો શુક્રવારે રાત્રે ઓછા માં ઓછી એક માળા “ઐં હ્રીં શ્રી અષ્ટલક્ષ્મીય હ્રીં સિદ્ધયે મમ ગૃહે આગચ્છાગચ્છાય નમઃ સ્વાહા” મંત્ર નો જાપ કરો. જો તમે આ ઉપાય કરો છો તો દરેક પ્રકાર ની સમસ્યાઓ નો અંત આવે છે.
3. જો તમને તમારા વ્યવસાય માં સમસ્યાઓ નો સામનો કરવો પડી રહ્યો છે, તો શુક્રવારે રાત્રે ગુલાબી રંગ નું કપડું લઈને તેના પર શ્રી યંત્ર અને અષ્ટ લક્ષ્મી નું ચિત્ર સ્થાપિત કરો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવા થી વ્યાપાર ની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે અને વ્યક્તિને વેપારમાં પ્રગતિ થાય છે.
4. જો તમે દેવી લક્ષ્મી ને પ્રસન્ન કરવા માંગો છો તો કહેવાય છે કે ભગવાન વિષ્ણુ ની પણ પૂજા કરવી જોઈએ. તેનાથી માતા લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજી બંને ની કૃપા પ્રાપ્ત થાય છે. શુક્રવારે રાત્રે દક્ષિણાવર્તી શંખ માં જળ ભરી ભગવાન વિષ્ણુજી નો અભિષેક કરવાથી લાભ મળે છે. આટલું જ નહીં પરંતુ વ્યક્તિને આર્થિક મુશ્કેલીઓ માંથી પણ મુક્તિ મળે છે અને વ્યક્તિ ને આર્થિક લાભ પણ મળે છે.
5. તે જ શુક્રવારની રાત્રે અષ્ટગંધ સાથે શ્રી યંત્ર અને અષ્ટલક્ષ્મી નું તિલક લગાવો. એવું માનવા માં આવે છે કે તે જીવન માં સુખ લાવે છે અને વ્યક્તિ ની બધી મુશ્કેલીઓ દૂર કરે છે.